અરબ દેશોમાંથી ધૂળકટ આવશે,
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી ! પ્રીમોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતાં હોય છે.
ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે. લા નીનો પરિબળના કારણે ચોમાસામાં ગુજરાતમાં કઈક અંશે સારો વરસાદ થવાનુ અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.
શિયાળા અને ઉનાળા કરતા ચોમાસાની સૌથી વધુ ચર્ચા રહેતી હોય છે, કારણ કે તેના પર ખેતી સહિતની બાબતો નિર્ભર રહેતી હોય છે. આવામાં જેમના માટે વરસાદનું મહત્વ છે તે સિવાય સામાન્ય લોકો પણ ચોમાસામાં વરસાદ કેવો રહેશે, કેટલા ટકા વરસાદ થશે તેની આગાહીની રાહ જોતા હોય છે.
વરસાદના વરતારા કે આગાહી પરથી જગતનો તાત કૃષિ પાકની તૈયારી કરતા હોય છે. હવામાન વિભાગે લાંબા ગાળાનુ પુર્વાનુમાન જાહેરત કરતા જણાવ્યુ છે કે દેશમાં જૂનથી લઈ સપ્ટેમ્બર સુધીમાં 106 ટકા જેટલો વરસાદ થવાનુ અનુમાન છે. આમ ચોમાસું સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની અનુમાન છે.
આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યુ છે કે ચાલુ વર્ષે ચોમાસું સારુ રહેશે. ચોમાસમાં વરસાદ સારો થાય તે માટે અનેક પરિબળો કામ કરતા હોય છે. તેમનુ એક પરિબળ છે લા નીનોની અસર, જેના આધારે ચોમાસુ સારુ રહેવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પ્રીમોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતાં હોય છે. અરબ દેશોમાંથી ધૂળકટ આવશે.
એપ્રિલ અને મે મહિનામાં પ્રીમોન્સુન એક્ટિવિટી થશે. આ દરમિયાન હવામાનમાં ભારે હલચલ જોવા મળશે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા રહેશે. 11 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનવાની પણ સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે.