કેશોદના માર્કેટિંગ યાર્ડ પાસે બાઈક ચાલકો આકસ્મિક ઘટનામાં ઈજાગ્રસ્ત થયાં.
કેશોદના હાઈવે રોડ અકસ્માતમાં બન્ને યુવાનો ને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યાં.
કેશોદ નજીક પસાર થતાં જેતપુર સોમનાથ ફોરલેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છાશવારે આકસ્મિક ઘટનાઓ બને છે ત્યારે આજે વહેલી સવારે બાઈક ચાલક બે યુવાનો આકસ્મિક ઘટનામાં ઈજાગ્રસ્ત બન્યાં છે. કેશોદના જેતપુર સોમનાથ ફોરલેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલાં માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત થયો હતો જેમાં કુકસવાડા ગામે યોજાયેલ રામદેવપીર ના મંડપમાં થી પરત આવી જુનાગઢ જઈ રહેલા કામરીયા પ્રકાશ બાબુભાઈ અને કામરીયા કેવલ ધીરૂભાઈ બુલેટ મોટરસાયકલ પર જતાં હતા ત્યારે હાઇવે પર ડિવાઈડર કુદીને બીજી તરફ પડયા હતાં.
વહેલી સવારે કેશોદ માર્કેટિંગ યાર્ડ પાસે ઘટના બનતા યાર્ડ ખાતે શાકભાજીના વેપારીઓ અને લોકો શાકભાજી લેવા આવતા હોય છે અને યાર્ડ ખાતે બહોળી શખ્યામાં લોકો હોય છે ત્યારે ધડાકાભેર આકસ્મિક ઘટના બનતાં લોકોના ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યારે બંને યુવાનોને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ ખાતે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં.
કેશોદના જેતપુર સોમનાથ ફોરલેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ બનાવવા વર્ષોથી માંગણી કરવામાં આવે છે પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. કેશોદ માર્કેટિંગ યાર્ડ પાસે સવારે શાકભાજી લઈને આવતાં જતાં વાહન ચાલકો વધુ પડતાં રોગ સાઈડમાં ચાલતાં હોય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળ ના જવાનો ની રાતથી સવાર સુધી ફાળવણી કરી રોન્ગ સાઈડમાં જતાં વાહનો અટકાવવામાં આવે તો છાશવારે બનતી આકસ્મિક ઘટનામાં થોડી ઘણી રાહત મળી શકે તેવું લોકોનું માનવું છે .
જ્યારે કેશોદના માર્કેટિંગ યાર્ડ પાસે બનેલી આ આકસ્મિક ઘટના કયાં કારણોસર બની એ જાણી શકાયું નથી. જ્યારે કેશોદ પોલીસ દ્વારા વહેલી સવારે બનેલી આકસ્મિક ઘટના ની તપાસ ચલાવવામાં આવી રહી છે
રિપોર્ટ :- પરેશ વાઢીયા (માળીયા હાટીના)