સુરતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ઉમેવારી ફોર્મ ચકાસણીમાં ઉભી કરવામાં આવેલી ગૂંચ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીનું નિવેદન
આજની ચકાસણીની પ્રક્રિયા અંગે તમામ સંસદીય મત વિસ્તારમાંથી અમારી પાસે જે માહિતી આવેલી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ કરવા માટે ભાજપે ' શામ, દામ,દંડ, ભેદ'ની નીતિ ફરી વધુ એકવાર અપનાવેલી છે.
ભાજપે આખું તંત્ર ઉભુ કર્યું છે, કોઈનું અપહરણ કરવાનું, કોઈને લોભ-લાલચ-રાજકીય દબાણ થયેલાનું જાણવા મળેલ છે. સમગ્ર તંત્ર પણ સત્તાધારી પક્ષ સમક્ષ નમેલુ હોય તેવું સ્પષ્ટ જણાય છે. ભાજપ પ્રશાસનનો દુરઉપયોગ કરી રહ્યું છે. અધિકારીઓ અને તંત્ર હજુ સુધી કેમ ચૂપ છે ? આ બતાવે છે કે પ્રશાસન ભાજપના આદેશથી નહિ કે ચૂંટણીપંચના આદેશથી.
કોંગ્રસ પક્ષની લીગલ ટીમ દ્વારા હાલ તમામ પાસાઓ ચકાસીને કાનૂની લડત આપશે
લોકસભાના ચુંટણી અધિકારીએ નિયમ વિરુધ બે-થી ચાર કલાકનો જ સમયમાં અમારી વાત રજુ કરવા જણાવ્યું હતું જે નિયમ વિરુધ હોવાથી કોંગ્રસ પક્ષના પ્રતિનિધિ મંડળની રજૂઆત બાદ નિયમ મુજબ સમય આપવામાં આવ્યો છે.
જે રમત રમાઈ છે અને જે કરતૂતો થયા છે તે અમે આવતીકાલે ખુલ્લું પાડીશું
ચૂંટણીપંચને વિનંતી છે કે ન્યાયિક અને પારદર્શી ચૂંટણી કરાવે, ભાજપના તમામ હથકંડા સામે કોંગ્રેસની જીત થશે. ગુજરાતની જનતાનો મિજાજ બદલાઈ કોંગ્રેસ પક્ષ તરફ વલણ ભાજપ પામી ગયું છે.
સમગ્ર બાબતની સુનાવણી બાદ ચુકાદો આવતીકાલે આવશે તેવું ચૂંટણીપંચ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે અમારી ચૂંટણીપંચને વિનંતી છે કે ન્યાયિક અને પારદર્શી ચૂંટણી કરાવે.