સમાચાર સારાંશ: પનીર, ચીઝ એનાલોગ, ઘી, મરીમસાલાનુ ઉત્પાદન તેમજ વેચાણ કરતી કુલ-૪૧ સંસ્થાની સ્થળ તપાસ કરી પનીરના કુલ-૧૬, ચીઝ એનાલોગના કુલ- ૦૩ ઘીના કુલ-૧૦ ,મરી-મસાલાના કુલ- ૨૮ નમુનાઓ લઇ પૃથ્થ્કરણ સારૂ પબ્લીક હેલ્થ લેબોરટરી, સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવેલ
Surat Food Safety | સુરત મહાનગરપાલિકાના આરોગ્ય
ટીમે અખાદ્ય પનીર ચીઝ એનાલોગ, ઘી, મરીમસાલાનો જથ્થો નાશ કર્યો
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય હસ્તકના ફુડ વિભાગ અને જેતે ઝોનના સેનિટેશન સ્ટાફને ડે.કમિશનશ્રી (ડી) (એચ.એન્ડ એચ.) તથા આરોગ્ય અધિકારી અને ડેઝીગ્નેટેડ ઓફીસરની સુચના તથા સીધા માર્ગદશન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાઘ્ય પદાર્થોની સંસ્થાઓની સઘન ચેકીંગ હાથ ધરી સંસ્થાઓમાંથી તા.૧૦/૧૧/ર૦રપ થી તા.૧૫/૧૧/ર૦રપ સુધીમાં સવારની કામગીરી દરમ્યાન પનીર, ચીઝ એનાલોગ, ઘી, મરીમસાલાનુ ઉત્પાદન તેમજ વેચાણ કરતી કુલ-૪૧ સંસ્થાની સ્થળ તપાસ કરી પનીરના કુલ-૧૬, ચીઝ એનાલોગના કુલ- ૦૩ ઘીના કુલ-૧૦ ,મરી-મસાલાના કુલ- ૨૮ નમુનાઓ લઇ પૃથ્થ્કરણ સારૂ પબ્લીક હેલ્થ લેબોરટરી, સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવેલ છે, જેનો પૃથ્થ્કરણ અહેવાલ આવ્યેથી ફુડ સેફટી એકટ-ર૦૦૬ અને તેના નીતી-નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વધુમાં પનીર, ચીઝ એનાલોગ, ઘીનો આશરે કુલ - ૭૯૭ કીલોગ્રામ જેની કિંમત આશરે ૨,૦૦,૪૭૨/- ની મતાનો જથ્થો ફુડ વિભાગ દ્રવારા સીઝ કરવામાં આવેલ અને ૫૪ કીલોગ્રામ અખાઘ્ય પદાર્થોનો જથ્થો નાશ કરવામાં આવેલ છે.
સાંજના સમયગાળા દરમ્યાન ફુડ વિભાગ અને ઝોનના આરોગ્યના સેનીટેશન સ્ટાફ સાથે રહી સંયુકત અભિયાનની કામગીરી દરમ્યાન જુદી જુદી ખાઘ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં પીવાના પાણી, ગ્રીસ ચેમ્બર્સ, કર્મચારીઓના મેડીકલ સર્ટીફીકેટ, કર્મચારીઓની શારિરીક સ્વચ્છતા બાબતે, કર્મચારીઓને ટોપી, હાથના મોજા અને એપ્રન, સુકો અને ભીના કચરાની અલગ વ્યવસ્થા કરવા અંગેની સમજ આપી તેઓમાં ઉપરોકત મુદાઓ અંગે જાગૃત રહેવા અંગે સખત સુચનાઓ આપવામાં આવેલ અને તેનું પાલન કરવા અંગે તાકીદ કરવામાં આવેલ છે. કુલ ૩૭૫ સંસ્થાઓની તપાસ કરી ખાઘ્ય પદાર્થોના કુલ-૭૯ નમુના લેવામાં આવેલ તેમજ ૮૬ સંસ્થાઓને આરોગ્યલક્ષી ખામી જણાતા નોટીસ આપવામાં આવેલ તેમજ ૧૨૦ કીલોગ્રામ અખાઘ્ય જથ્થો નાશ કરવામાં આવેલ અને ૧,૩૧,૦૦૦/- નો વહીવટી ખર્ચ વસુલવામાં આવેલ છે.વધુમાં આ કામગીરી આગામી દિવસોમાં ચાલુ રહેશે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



