હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ભાજપે કહ્યું હતું મહાયુતિને જો બહુમત મળી તો મુખ્યમંત્રીનો નિર્ણય ભાજપના સસંદીય બોર્ડ, એનસીપી અને શિવસેનાનું નેતૃત્ત્વ કરશે

Posted 1 year ago with 15 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: હાલ શિવસેનાના ભાગલા પડી ગયાં છે અને ઉદ્ધવ ઠાકરેની બદલે એકનાથ શિંદે ભાજપને પોતાના વચનોની યાદ અપાવે છે.

કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ભાજપે કહ્યું હતું મહાયુતિને જો બહુમત મળી તો મુખ્યમંત્રીનો નિર્ણય ભાજપના સસંદીય બોર્ડ, એનસીપી અને શિવસેનાનું નેતૃત્ત્વ કરશે
1/1

કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ભાજપે કહ્યું હતું મહાયુતિને જો બહુમત મળી તો મુખ્યમંત્રીનો નિર્ણય ભાજપના સસંદીય બોર્ડ, એનસીપી અને શિવસેનાનું નેતૃત્ત્વ કરશે

આજથી ચાર વર્ષ પહેલાં 2019માં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશી માટે વિવાદ થયો અને રાજ્યની બે પ્રમુખ પાર્ટી ભાજપ અને શિવસેના એકબીજાથી અલગ થઈ ગયાં. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનું કહેવું હતું કે, અમિત શાહે વચન આપ્યું હતું કે, જો સત્તા મળી તો બંને પક્ષના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જોકે, ભાજપે આ દાવાને સ્પષ્ટ રીતે નકારી દીધો અને કહ્યું કે, આવું કોઈ વચન આપવામાં જ નથી આવ્યું અને સ્વાભાવિક રીતે વધારે બેઠક ધરાવતી પાર્ટીને જ સત્તા મળવી જોઈએ. 

કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ભાજપે કહ્યું હતું મહાયુતિને જો બહુમત મળી તો મુખ્યમંત્રીનો નિર્ણય ભાજપના સસંદીય બોર્ડ, એનસીપી અને શિવસેનાનું નેતૃત્ત્વ કરશે

આ વિષય પર સંઘર્ષ એટલો બધો વધી ગયો કે, ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો અને તેઓએ કોંગ્રેસ તેમજ એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. ત્યારબાદ આશરે અઢી વર્ષ સુધી તેઓ મુખ્યમંત્રી રહ્યાં. 

જોકે, ચાર વર્ષ બાદ ફરી શિવસેના અને ભાજપ વચ્ચે આવી તકરાર જોવા મળી રહી છે. પણ હાલ શિવસેનાના ભાગલા પડી ગયાં છે અને ઉદ્ધવ ઠાકરેની બદલે એકનાથ શિંદે ભાજપને પોતાના વચનોની યાદ અપાવે છે.

આ ચૂંટણીના પાંચ વર્ષ વીતી ગયાં, શિવસેનાના બે ભાગલા પડી ગયાં, જેમાં ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈ શિંદે સેનાએ શિવસેનાના નામે જ ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી. ત્યારબાદ ફરી વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને તેના પરિણામ પણ સામે આવી ગયાં. જેમાં આ વખતે એકનાથ શિંદેની શિવસેનાને 57 બેઠક મળી છે. જોકે, ભાજપના ખાતામાં 132 બેઠકો આવી. હવે ફરી આ અલગ-અલગ પાત્રો સાથે એ જ વિવાદ મહારાષ્ટ્રના રાજકારણમાં જોવા મળી રહ્યો છે.

એકનાથ શિંદે સેના ઈચ્છે છે કે, મુખ્યમંત્રી તેમના જ હોય. પાર્ટીના નેતા એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે લાગી ગયા છે અને બિહારથી લઈને હરિયાણા સુધીના ઉદાહરણો આપી રહ્યા છે. એટલું જ નહીં એકનાથ શિંદેની શિવસેનાની ભાષા પણ હવે 2019ના ઉદ્ધવ ઠાકરેની શિવસેના જેવી થઈ ગઈ છે. ચાર વર્ષ પહેલાં શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતનું કહેવું હતું કે, ભાજપે વચન આપ્યું હતું કે, અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રી બનશે. હવે શિંદે સેના પણ સંજય રાઉતની જેમ ભાજપને તેના વચન અને ગઠબંધન ધર્મ યાદ અપાવે છે.એકનાથ શિંદે પણ દાવો કરી રહ્યા છે કે, ભાજપે વચન આપ્યું હતું કે, જો સત્તા મળી તો મુખ્યમંત્રી શિવસેનામાંથી જ હશે. શિંદે સેનાના પ્રમુખનું કહેવું છે કે, લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ બેઠકો કરવામાં આવી હતી. આ બેઠકમાં નક્કી થયું હતું કે, જો સરકાર બનશે તો કોને કેટલી બેઠક મળી તે જોયા વિના એકનાથ શિંદેને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે

ભાજપને તેનો જવાબ આપતા કહ્યું કે, અમિત શાહની હાજરીમાં મુંબઈમાં બેઠક થઈ હતી. આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, મહાયુતિને જો બહુમત મળી તો મુખ્યમંત્રીનો નિર્ણય ભાજપના સસંદીય બોર્ડ, એનસીપી અને શિવસેનાનું નેતૃત્ત્વ કરશે. હા, ચૂંટણી એકનાથ શિંદેની લીડરશીપમાં લડવામાં આવશે. તેમ છતાં મુખ્યમંત્રીનો નિર્ણય ચૂંટણી બાદ મળીને લેવામાં આવશે. ભાજપ નેતાએ કહ્યું કે, આ પ્રકારે નક્કી કરવામાં આવ્યું હતું કે, બાદમાં નિર્ણય લેવામાં આવશે, પહેલાંથી કંઈ નક્કી નહતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.