સમાચાર સારાંશ: રિપોર્ટ- અલ્તાફ લુહાર સાબરકાંઠા ખેડુતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે .
સાબરકાંઠા જીલ્લામાં ચોમાસુ વાવેતર કરતા ખેડૂતો ચિંતામાં ચોમાસાની સિઝનમાં હજુ પણ વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેડુતો જગતાતની હાલત હાલ કફોડી બની .
આમ તો ખેડુતોએ વાવેતર શરુ કર્યુ છે પરંતુ અમુક ખેડુતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે .
બાઈટ- અરવીંદભાઈ પટેલ, ખેડુત, ધનપુરા
બાઈટ- કાંતીભાઈ પટેલ ખેડુત. હિંમતપુર
સાબરકાંઠા જીલ્લામાં ચોમાસુ વાવેતરમાં મગફળી, કપાસ નુ સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે કારણે કે ગત વર્ષે મગફળી અને કપાસ ના અધધ ભાવ મળ્યા હતા અને જેને લઈને આ વખતે પણ ખેડુતો વધુ વાવેતર કરવાની તૈયારી કરી છે.
પરંતુ ચાલુ સાલે સાબરકાંઠા જીલ્લા માં વરસાદ થોડો મોડો થયો છે પહેલા એક કે બે દિવસ વરસાદ આવ્યો એ પણ સામાન્ય જેનાથી જમીનમાં ભેજ થઈ ન થયો છતા પણ જ્યા થોડુ પાણી હતુ તે ખેડુતો કપાસ અને મગફળી નુ વાવેતર કરી દીધુ પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુંજાવા લાગ્યો છે.
હાલ ખેડુત ખેતર પણ તૈયાર કરી બેઠો છે સાથે ખાતર દવા બીયારણ પણ તૈયાર છે પણ વરસાદ નથી જેથી ખેડુત વરસાદની રાહ જોઈને બેઠો છે ખેતર કે ક્યારે વરસાદ પડે અને વાવેતર શરૂ કરે.. તો સામે ખેતરમાં જંગલી ભુંડ અને રોઝ નો પણ ત્રાસ વધતા ખેડુતો મુશ્કેલી માં મુકાયા છે.
આમ તો ચોમાસાની સિઝનમાં કેટલાક ખેડુતોએ વાવેતર ની શરૂઆત તો કરી લીધી છે પરંતુ જે ખેડુતો ને કુવામાં સારુ પાણી છે તેઓએ વાવેતર શરૂ કરી દીધુ છે જેમાં કપાસ મગફળી નુ વાવેતર વધુ કર્યુ છે..
ત્યારે ખેડુતો હાલ તો કુદરત પર આશા રાખીને બેઠા છે કારણ કે મોઘાદાટ બીયારણ દવાઓ ખાતર અને મજુરી તો સામો ડીઝલ ના ભાવ પણ આસમાને પહોચ્યા છે અને માંડ માંડ ખેતરમાં વાવેતર કર્યુ છે પરંતુ વરસાદ ન વરસે તો ખેડુતો ને નુકસાન થઈ શકે તેમ છે ત્યારે ક્યારે વરસાદ આવે તેની પણ ખેડુતો મીટ માંડીને બેઠા છે... જો બે થી પાંચ દિવસમાં વરસાદ ન આવે તો જે ખેડુતોએ વાવેતર કર્યુ છે એ પાક ને નુકસાન થઈ શકે તેમ છે કારણ કે પાણી વગર પાક પણ મુરજાઈ શકે તેમ છે... તો જેને વાવેતર બાકી છે તે પણ રાહ જોઈ રહ્યા છે.
આમ તો સારા વરસાદ ની આશાએ વાવેતર શરુ કરી દીધુ છે પરંતુ હાલ તો ખેડુતો કુદરતના આસરે છે કે ક્યારે વરસાદ વરસે અને પાકનુ વાવેતર કરાય અને જે ખેડુતોએ વાવેતર કરેલ છે અને વરસાદ ન વરસે તો ચોક્કસ પણ ખેડુતો ને મોટુ નુકસાન થઈ શકે તેમ છે અને હાલ વરસાદ ન પડતા ખેડુતોની ચિંતા વધી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



