સમાચાર સારાંશ: તમામ 72 મંત્રીઓને મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવી
વડાપ્રધાન નિવાસસ્થાને મોદી કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ 72 મંત્રીઓને મંત્રાલયોની ફાળવણી કરવામાં આવી .અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, એસ.જયશંકરના મંત્રાલયો યથાવત્
अगर ये तीन चीजें हमारे पास हों, तो मैं नहीं मानता कि विफलता दूर-दूर तक नजर आएगी… pic.twitter.com/bdXt4k5WjI
— Narendra Modi (@narendramodi) June 10, 2024

આજે વડાપ્રધાન નિવાસસ્થાને મોદી કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ 72 મંત્રીઓને મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્મિક, લોક-ફરિયાદ અને પેન્શન, પરમાણુ, અવકાશ વિભાગ, નીતિવિષયક બાબતો અને નહીં ફાળવાયેલા તમામ વિભાગ સંભાળશે. જ્યારે અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, એસ.જયશંકરના મંત્રાલયો યથાવત્ રખાયા છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ કેબિનેટની પહેલી બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા હતા, જેમાં ત્રણ કરોડ ઘર બનાવવાનો, તમામ ઘરને એલપીજી અને વીજળી આપવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો.
આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મોદી 3.0ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સિતારામન સહિતના કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ ઉપસ્થિત છે. આ દરમિયાન કેબિનેટની પહેલી બેઠકમાં જે નિર્ણય સામે આવ્યા છે, તે મુજબ વડાપ્રધાન આવાસ યોજનાનો વધુ એક્સટેન્ડ કરાશે. આ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘરો બનાવાશે. આ પહેલા મોદી 2.0 સરકારની આગેવાની હેઠળ 4.21 કરોડ ઘર બની ચુક્યા છે. આ ઉપરાંત તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાનો અને તમામને એલપીજી આપવાનો નિર્ણય પણ લેવાયો છે.
નવી કેબિનેટની પ્રથમ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને શરૂ થઈ છે. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ અને જે.પી. નડ્ડા હાજર છે. આ સિવાય મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ, ગિરિરાજ સિંહ, મનોહર લાલ ખટ્ટર, લલન સિંહ સહિત તમામ 30 કેબિનેટ મંત્રીઓ હાજર હતા .
કેબિનેટની બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમઓમાં ઉપસ્થિત સરકારી કર્મચારીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણે આવનારા વર્ષોમાં વૈશ્વિક માપદંડો પર પણ કામકરવાનું છે. જ્યાં કોઈ પહોંચ્યું નથી, ત્યાં આપણે આપણા દેશનો પહોંચાડવાનો છે.
તેમણે કહ્યું કે, હું શરૂઆતથી જ પ્રયાસો કરતો રહ્યો છું કે, વડાપ્રધાન કાર્યાલય સેવાનો અધિષ્ઠા અને People’s PMO (પ્રજાનું વડાપ્રધાન કાર્યાલય) બને. સરકારનો અર્થ સામર્થ્ય, સમર્પણ અને સંકલ્પોની નવી ઉર્જા છે. આપણી ટીમ માટે સમયનું બંધન પણ નથી અને વિચારવાની સીમાઓ પણ નથી તેમજ પુરુષાર્થ કરવા માટેના પણ કોઈ માપદંડ નથી. આ વિજયના સૌથી મોટા હક્કદાર ભારત સરકારના કર્મચારીઓ પણ છે, જેમણે એક વિઝન માટે પોતાને સમર્પિત કરી કોઈ ખામી રાખી નથી. આ ચૂંટણી તમામ સરકારી કર્મચારીઓના 10 વર્ષના પુરુષાર્થ પર મહોર મારશે. આ વિજયના સૌથી મોટા હક્કદાર તમે છો.
તેમણે વધુમાં કહ્યું કે, ‘જેઓ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમર્પિતની ભાવના રાખે, તે તમામને મારું નિમંત્રણ છે. હાલનો સમય મેં જે 10 વર્ષમાં વિચાર્યું હતું, તેનાથી વધુ વિચારવાનો અને કરવાનો સમય છે. હવે જે કરવાનું છે, તે વૈશ્વિક માપદંડોને પાર કરવાનું છે. જ્યાં કોઈ નથી પહોંચ્યું, ત્યાં આપણે દેશને પહોંચાડવાનો છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



