સમાચાર સારાંશ: રાજકોટ ખાતે ગેમિંગ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં મૃતદેહની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવી પડી હતી
ડીએનએ સેમ્પલથી ફાઈનલ રીપોર્ટ સુધી કુલ આઠ તબક્કામાં આ કામગીરી કરવાની હોય છે. જે દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરાતો હોય છે.
રાજકોટ ખાતે થયેલી દુર્ઘટનામાં એફ.એસ.એલ ટીમ દિવસ રાત કાર્યરત
મૃતકોના હાડકાંને એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ પહોંચાડાયા હતા.ડીએનએ ટેસ્ટમાં અંદાજે 24 કલાક જેટલો સમય થતો હોય છે. મૃતકોના દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે 18 થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ દિવસ રાત કાર્યરત છે. રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ એફ.એસ.એલની ટીમે કામગીરી શરૂ કરી દીધી હતી.
સૌપ્રથમ આવેલા ડીએનએ સેમ્પલમાં બ્લડ અને મૃતકના પોસ્ટમોર્ટમ દરમિયાન લેવાયેલા નમૂના હતા. ડીએનએ એ સજીવનું સૌથી મહત્વપૂર્ણ આનુવંશિક સૂત્ર છે, જે તેમની પાસે આનુવંશિક માહિતી રાખે છે. ડીએનએમાં જીવને લગતી તમામ માહિતી અને જીવન ચલાવવા માટે જરૂરી તમામ સૂચનાઓ હોય છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



