સમાચાર સારાંશ: ચારધામની યાત્રા એક તરફ શરૂ થઈ ચૂકેલી છે અને દેશભરમાંથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે અચાનક આટલી મોટી ભીડ યમનોત્રીમાં એકઠી થઈ
યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધારો , જાહેર માર્ગ પર અફરા તફરીનો માહોલ સર્જાયો , ભક્તોની સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ પોલીસે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી
યમનોત્રીમાં ભારે ભીડ ઉમટી છે યાત્રાળુઓની તેને કારણે ત્યાં પહોંચેલા યાત્રાળુઓ ભારે તકલીફનો સામનો વેઠી રહ્યા છે આ ઉપરાંત ત્યાં પહોંચેલા યાત્રાળુઓની સુવિધા માટે તંત્ર જાણે મુક દર્શક બની હોય તેવું યાત્રાનું આયોજન કરનાર આયોજકોને લાગી રહ્યું છે ગુજરાતથી યાત્રાળુઓને લઈને યમુનોત્રી પહોંચેલા ટુર આયોજન તરુણભાઈ પટેલે જણાવ્યું કે અહીં પહોંચેલા લાખો શ્રદ્ધાળુઓ ભારે ભીડ થઈ હોવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે.

This is what happens when pilgrimage turns into vlogging trips. These visuals from #Yamunotri #CharDhamYatra are common sight at religious places. No amount of arrangements can manage this. The numbers need to be restricted and regulated. #UttarakhandPolice issues appeal… pic.twitter.com/BV3gLOA93v
— Sumedha Sharma (@sumedhasharma86)This is what happens when pilgrimage turns into vlogging trips. These visuals from #Yamunotri #CharDhamYatra are common sight at religious places. No amount of arrangements can manage this. The numbers need to be restricted and regulated. #UttarakhandPolice issues appeal… pic.twitter.com/BV3gLOA93v
— Sumedha Sharma (@sumedhasharma86) May 12, 2024
ચારધામની યાત્રા એક તરફ શરૂ થઈ ચૂકેલી છે અને દેશભરમાંથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે અચાનક આટલી મોટી ભીડ યમનોત્રીમાં એકઠી થઈ હોવાથી અફરા તફરીનો માહોલ સર્જાયો છે યાત્રાળુઓ માટે આરોગ્યની સુવિધાના નામે મીંડું છે શૌચાલયની વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે
યમુનોત્રી ધામ યાત્રા શરૂ થયા બાદ જે તસવીરો સામે આવી રહી છે તે ભયાનક છે. વીડિયો અને તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યમુનોત્રી ધામ યાત્રાધામમાં જ હજારો ભક્તો જોવા મળે છે. કેટલાક સો મીટરનો ચાલવાનો માર્ગ જ બ્લોક થઈ ગયો હતો.
10 મેથી શરૂ થયેલી આ યાત્રાનો રવિવાર ત્રીજો દિવસ છે. પરંતુ, ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે આ યાત્રાને રવિવાર સુધી મોકૂફ રાખવાની અપીલ કરી છે. સવારે 6 વાગ્યા પહેલા જ પૂરતા મુસાફરો અહીં પહોંચી ગયા છે.
મળતી માહિતી મુજબ શનિવારે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા જ્યારે આજે બદ્રિનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ સાથે જ ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા શરુ થઈ ગઈ છે.
દેશભરમાંથી ભક્તો ચાર ધામની યાત્રા કરવા ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. ત્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. ભક્તોની સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ પોલીસે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



