સમાચાર સારાંશ: આપમાં તેમની ઉપયોગીતા ન હોય તેવી વાત કરીને રાજીનામું આપી દીધું છે.
સુરત ઉત્તર વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી ભાજપ સામે ચૂંટણી લડી ચૂકેલા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દિનેશ કાછડીયાએ આજે આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે. આપમાં તેમની ઉપયોગીતા ન હોય તેવી વાત કરીને રાજીનામું આપી દીધું છે.
આપના પ્રદેશ પ્રમુખને રાજીનામું આપતા દિનેશ કાછડીયાએ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી-ગુજરાત રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેમજ છેલ્લા એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવને જોતા આમ આદમી પાર્ટી, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગીતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું...આ રાજીનામા બાદ કાછડીયાએ કહ્યું હતું કે, આપમાંથી રાજીનામું આપ્યું છે અને હાલ અન્ય કોઈ પક્ષમાં જોડાવવાનો વિચાર કર્યો નથી. રાજીનામાં પત્રમાં તેમને લખ્યું કે હું દિનેશ કાછડીયા, પ્રદેશ મંત્રી, આમ આદમી પાર્ટી-ગુજરાત. રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ તેમજ છેલ્લાં એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવોને જોતાં આમ આદમી પાર્ટી, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું.

આપને જણાવી દઈએ કે સુરત શહેરમાં નાગરિકોની સમસ્યાને સતત તંત્ર સમક્ષ રજૂ કરવામાં અને પ્રજાનું અવાજ બનીને કોર્પોરેશન તંત્રને નિંદ્રામાંથી જગાડનાર એક પ્રજાના પ્રતિનિધિ તરીકે દિનેશ કાછડીયાની છાપ જન માનસમાં હતી હવે જોવાનુંએ રહ્યું કે દિનેશભાઈ પ્રજાનો અવાજ બનવા માટે કયા પક્ષમાં જોડાશે
આપમાં તેમની ઉપયોગીતા ન હોય તેવી વાત કરીને રાજીનામું આપી દીધું છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



