સમાચાર સારાંશ: એનડીટીવીના પોલ ઑફ પોલ્સ મુજબ તમિલનાડુની 39 બેઠકોમાંથી ભાજપને ત્રણ બેઠકો મળવાના અણસાર સામે આવ્યા છે.
દક્ષિણ ભારતના તમિલનાડુમાં ભાજપનો ઉદય થતો જોવા મળી રહ્યો છે
લોકસભા ચૂંટણીના મતદાન બાદ હવે એક્ઝિટ પોલના તારણો સામે આવ્યા છે, જેમાં દક્ષિણ ભારતના તમિલનાડુમાં ભાજપનો ઉદય થતો જોવા મળી રહ્યો છે. એનડીટીવીના પોલ ઑફ પોલ્સ મુજબ તમિલનાડુની 39 બેઠકોમાંથી ભાજપને ત્રણ બેઠકો મળવાના અણસાર સામે આવ્યા છે. આ તારણો બાદ રાજ્યમાં દ્રવિડ રાજકારણ ઉપર ભાજપના હિન્દુત્વના રાજકારણની જીત તરીકે જોવામાં આવી રહી છે.
વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપે રાજ્યની 23 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે તેણે પીએમકે (પટ્ટાલી મક્કમ કાચી)ને 10 બેઠકો અને અમ્મા મક્કમ મુનેત્ર કડગમ (AMMK)ને બે બેઠકો આપી હતી.આ પહેલા વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપે ચાર અન્ય પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું. તે વખતે ભાજપે રાજ્યના કુલ મતોમાંથી 5.5 ટકા મતો મેળવવાની સાથે એક બેઠક પર જીત મેળવી હતી. કન્યાકુમારી બેઠક પર ભાજપના રાધાકૃષ્ણ પી જીત્યા હતા. જ્યારે તેની સહયોગી પાર્ટી પીએમકે માત્ર એક બેઠક જીતી શકી હતી. પીએમકેએ આઠ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમને કુલ મતદારોના 4.5 ટકા મતો મળ્યા હતા.

જ્યારે એઆઈડીએમકેએ માત્ર એક બેઠક જીતી હતી. પાંચ વર્ષ બાદ ભાજપના વોટ શેરમાં ઘટાડો થયો હતો અને તેને કુલ મતદારોમાંથી 3.7 ટકા મતદારોએ મત આપ્યા હતા.
હવે પાંચ વર્ષ બાદ તમિલનાડુમાં ભાજપ માટે સારા તારણો સામે આવ્યા છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપ રાજ્યમાં ત્રણ બેઠકો જીતી શકે છે. જ્યારે ટુડેજ ચાણક્યના એક્ઝિટ બોલ મુજબ ભાજપે 10 બેઠકો મળવાની સંભાવના છે. આ તારણો દક્ષિણ ભારતમાં ભાજપના ઉદય તરીકે અને દ્રવિડ રાજકારણના યુગની પૂર્ણાહુતી તરીકે જોવામાં આવી રહી છે.
જોકે તેમ છતાં વર્ષ 1998માં ભાજપે એઆઈડીએમકેના નેતા જયલલિતાના સમર્થનથી જ અટલ બિહારીની સરકાર બનાવી હતી. જયલલિતા બ્રાહ્મણ હતા અને દ્રવિડ રાજકારણ કરતા હતા. જોકે જયલલિતાએ સમર્થન પરત ખેંચી લેતા એક વર્ષ બાદ અટલ બિહાર સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ યોજાયેલી ચૂંટણીમાં ડીએમકે-ભાજપે ગઠબંધન કર્યું અને ડીએમકેના સમર્થનના કારણે વાજપેયી સરકારે પાંચ વર્ષ સુધી સત્તા જમાવી. ત્યારબાદ વર્ષ 2004ની ચૂંટણીની ઠીક પહેલા ડીએમકેએ ભાજપ સાથે ગઠબંધન તોડ્યું. આમ ભાજપે તમિલનાડુમાં અનેક પડકારો જોવાની નોબત આવી.
Waves of excitement in Coimbatore, Tamil Nadu to welcome their beloved PM Shri @NarendraModi ji.#PhirEkBaarModiSarkar pic.twitter.com/ORSmjJRyAv
— Smriti Z Irani (@smritiirani) March 19, 2024
કે.અન્નામલાઈ (K.Annamalai)એ ઘણી મહેનત કરી દ્રવિડ રાજકારણને ટક્કર આપવા હિન્દુત્વનું રાજકારણ ઉભુ કર્યું છે. તેમના પરિણામે જ તમિલનાડુમાં દ્રવિડ રાજકારણની વિરોધી શક્તિઓ ભાજપ સાથે આવી રહી છે. ભાજપે તમિલનાડુમાં ઉત્તર ભારતનો ફોર્મ્યૂલાનો ઉપયોગ કર્યો છે અને ત્યાં પાર્ટીના મોટા પદો પર અન્ય પછાત વર્ગની મોટી જાતિઓને સ્થાન આપ્યું છે. જેના કારણે ભાજપને તેનો ફાયદો પણ મળતો દેખાઈ રહ્યો છે. ભાજપની ઓળખને કારણે બ્રાહ્મણવાળું ટેગ હટી રહ્યું છે અને પછાતની પાર્ટીનું ટેગ જોડાઈ રહ્યું છે. ભાજપે દ્રવિડ રાજકારણને પડકાર આપવા જ્ઞાતિનું રાજકારણ શોધી લીધું છે. ભાજપ ત્યાં બ્રાહ્મણ અને પછાત જાતિઓને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો ભાજપ અહીં સફળ થઈ જશે તો રાજ્યમાં ત્રીજી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



