સમાચાર સારાંશ: સામવેદી બ્રાહ્નણો આજે મંદિરો અને આશ્રમો ખાતે એકઠા થઈને ‘હેમાદ્રી’ શ્લોકોના ઉચ્ચારો સાથે વિધિવત ઉપવિત ધારણ કરે છે
સનાતન ધર્મમાં સામવેદી પરંપરા
વેદોકત પરંપરા મુજબ જનોઈ બદલી

આ વર્ષે વરસાદની ઘટ છે ત્યારે મહાદેવને પ્રાર્થના કરવામાં આવી
સામવેદી બ્રાહ્નણો ભાદરવા સુદી ત્રીજ કેવડાત્રીજના દિવસે વેદોકત પરંપરા મુજબ જનોઈ બદલે છે. જે અંતર્ગત અમદાવાદમાં શ્રી કપડવંજ મોઢ બ્રાહ્મણ બંધુ સમાજ અમદાવાદ દ્વારા પુષ્પનાથ મહાદેવ પાલડીમાં શાસ્ત્રોક વિધિ પ્રમાણે જનોઈ બદલી.ગુજરાત સહીત દેશભરના
સામવેદી બ્રાહ્નણો આજે મંદિરો અને આશ્રમો ખાતે એકઠા થઈને ‘હેમાદ્રી’ શ્લોકોના ઉચ્ચારો સાથે વિધિવત ઉપવિત ધારણ કરે છે
સામવેદમાં કહેલ વેદિક વિધિ અનુસાર પિતૃ તર્પણ કરીને દેવની, ગુરુની અને પિતૃની આજ્ઞા લઈને જનોઈ બદલવાની સમગ્ર પૂજાવિધિ કરીને સામવેદી હોવાની અનુભૂતિ કરીને સનાતન ધર્મને અને તેના મહત્વને જાણીએ તો એ આપણા સનાતન ધર્મ, સામવેદી પૂજા પધ્ધતિ અને આપણા પુણ્યશાળી પૂર્વજો પ્રત્યે આપણી સાચી નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ આ વર્ષે વરસાદની ઘટ છે ત્યારે મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી
સમગ્ર બ્રાહ્નણ પરિવારો માટે જનોઈ બદલવાનો પ્રસંગ અન્ય તહેવારોની સરખામણીમાં વિશિષ્ટ ગણાય છે. ભણવું અને ભણાવવું જ્ઞાન-વિજ્ઞાનની હંમેશા સાધના કરવી એ બ્રાહ્નણોની વિશિષ્ટ ઓળખ રહી છે. જનોઈના ત્રણ ત્રાગડા, બ્રહ્ના, વિષ્ણુ અને મહેશના પ્રતિક રૂપે છે. જેને બ્રાહ્નણો ધારણ કરે છે તેથી પોતે તેજસ્વી છે. અને પોતાના જ્ઞાનનું વિતરણ કરીને સમાજને તેજસ્વી અને ઓજસ્વી બનાવવાનું કાર્ય તેઓ કરતારહ્યા છે. જનોઈ બ્રાહ્નણો માટે હંમેશાં જ્ઞાન, કર્તવ્ય અને નિષ્ઠાનું સૂચન કરે છે. ભાદ્રપદની ત્રીજના દિવસે જનોઈ બદલવાનો વિધિ સમગ્ર સામવેદી બ્રહ્નસમાજ માટે મૂલ્યવાન અવસર છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



