સમાચાર સારાંશ: કાલોલ મામલતદાર કચેરીના પ્રાંગણમાં ભારે પાણી ભરાઈ ગયા
કાલોલ મામલતદાર કચેરીમાં વરસાદી પાણી ભરાતા અરજદારો જીવના જોખમે પાણીમાંથી નિકળવા મજબૂર..!!
ત્યારે કાલોલ ગામની મામલતદાર કચેરી પ્રાંગણમાં દર વર્ષે વરસાદી પાણી ભરાતા પાણી લઈ આવવા-જવામાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દરવર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતિ હોવાછતાં જવાબદાર તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવાના કોઇ જ પ્રયાસ કરવામાં આવતાં નથી.દરવર્ષે વરસાદી પાણી અને ખાબોચિયામાંથી અરજદારોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે.
આ મામલે સ્થાનિકો દ્વારા જવાબદાર તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઇ ગંભીરતા દાખવવામાં આવતી નથી.છેલ્લા કેટલાય વર્ષોથી પ્રવર્તિ રહેલી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી આપવામાં આવે તેવી લાગણી અરજદારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આપણે જણાવી દે કે હજુ પણ 17 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ પ્રજાના સેવા અર્થે કરોડો રૂપિયાનું ખર્ચ કરીને બનાવેલી આ સરકારી કચેરી અત્યારે હાલ તો લોકો માટે જાણે મજબૂરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



