સમાચાર સારાંશ: તળાવમાં ખરાબ પાણી છોડવામાં આવી રહ્યુ છે.જેને લઇને હજારો માછલીઓના ટપો ટપ મોત
રાધનપુરના સાતુન ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણીથી હજારો માછલીના ટપો ટપ મોત તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં પરિણામ શૂન્ય
રાધનપુર નગરપાલિકાની હદમાં આવતી જીઆઇડીસીમાંથી કેમિકલ યુક્ત સાતુન ગામના તળાવમાં ખરાબ પાણી છોડવામાં આવી રહ્યુ છે.જેને લઇને હજારો માછલીઓના ટપો ટપ મોત થઈ રહ્યા છે.
રાધનપુર નગરપાલિકા અને જીઆઇડીસી માં આવતી કેમિકલ ફેક્ટરી દ્વારા ખરાબ અને કેમિકલ યુક્ત પાણી છેલ્લા 20 વર્ષથી સાતુન ગામ તળાવમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઇને ગામના લોકો દ્વારા આ બાબતે વારંવાર રજુઆતો કરવા છતાં નઘરોળ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા આજે તળાવમાં હજારો માછલીઓના મોત થતા સરકારી તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
રાધનપુર નગરના ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ના આવતા છેલ્લા વીસેક વર્ષથી કેમિકલ યુક્ત ગંદુ પાણી તાલુકાના સાતુન ગામના તળાવમા જતું હોવાના કારણે તળાવનું પાણી ગ્રામજનો માટે બીનઉપયોગી બનવા પામ્યું છે.
તળાવમાં આવતું ગંદુ અને કેમિકલયુક્ત પાણી બાબતે ગામના લોકો દ્વારા રાધનપુર નગરપાલિકા તેમજ જિલ્લા કલેક્ટરને રાધનપુર મામલતદાર ને વારંવાર રજુઆતો કરવામાં આવી છે..પંરતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ નક્કર પગલા ભરવામાં ના આવતા સાતુન ગામના તળાવમાં આવતું ગંદુ અને કેમિકલ યુક્ત પાણીને કારણે તળાવમાં રહેલ હજારો માછલીઓના મોત થયા છે.
ગામના તળાવમાં હજારોની સંખ્યામાં માછલા મરતા માછલાની વાસને કારને ગ્રામજનોને ગામમાં રહેવું મુશ્કેલ બન્યું છે . જ્યારે તળાવ નજીક આવેલ શાળામાં ભણતા બાળકો અને શિક્ષકોને પણ મરેલા માછલાની દુર્ગંધને કારણે શાળામાં રહેવું મુશ્કેલ બન્યું છે
તળાવ કિનારે પ્રખ્યાત આસ્થાનું કેન્દ્ર ગણાતા હનુમાનજી મંદિર પણ આવેલ હોઈ અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને પણ તળાવમાં મરેલા માછલાની દુર્ગંધને કારણે મંદિરમાં બેસવું મુશ્કેલ બન્યુ છે.તેમજ કેમિકલ યુક્ત પાણીના કારણે ખેતીલાયક જમીનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે.
ત્યારે આ કેમિકલ યુક્ત પાણીનો તાત્કાલિક તંત્ર દ્વારા નિકાલ કરવા ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે....
બાઈટ: જલાભાઈ ઠાકોર
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



