સમાચાર સારાંશ: માઇ ભક્તો માટે તમામ સુવિધાઓ સજજ આજે છઠો દિવસ
આજે અંબાજી પૂનમના મેળાનો છઠો દિવસ ભાદરવી મહાકુંભનો પાંચમો દિવસ સુખ શાંતિ રીતે પરિપૂર્ણ તરફ, પાંચ દિવસમા 22 લાખ 35 હજાર માઇ ભક્તોએ માતાજીના દર્શન કર્યા
માઇ ભક્તો માટે તમામ સુવિધાઓ સજજ આજે છઠો દિવસ
ભાદરવી પૂનમનાનો પાંચમો દિવસ સુખ શાંતિ રૂપે પરિપૂર્ણ થયો છે. ત્યારે માં જગતજનની અંબાના ધામે યોજાઇ રહેલો સાત દિવસનો આ મહા મેળા માં લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાના દર્શન કરી રહ્યા છે.
મોટી સંખ્યામાં આવતા ભાવી ભક્તો માટે અંબાજી આવતા તમામ માર્ગો પર પૂર્તિ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. જેમાં ભક્તો માટે વિસામાં, જમવા પીવાના પાણી, ટોયલેટ સહિતની અનેકો વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આજે આ મહા કુંભનો પાંચમો દિવસ હતો ત્યારે પાંચમા દિવસે પણ લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના ચરણે શીશ નમાવા પહોંચ્યા હતા. રંગે ચંગે યોજાઇ રહેલો આ ભાદરવી મહાકુંભ માં યાત્રાધામ અંબાજી માં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે.
મેળાનો આજે છઠ્ઠો દિવસ સુખ રૂપ સંપન્ન થવા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે મેળા ના પાંચમા દિવસે 3 લાખ 50 હજાર 465 બોક્સ મોહનથાળ પ્રસાદ નું વિતરણ થયું હતું. અને 5 લાખ 98 હજાર થી વધુ ભક્તો એ માં અંબા ના દર્શન કર્યા હતા. તો 90,520 જેટલા ભક્તો એ નિઃશુલ્ક ભોજન નો લાભ લીધો હતો. મહાકુંભ ના પાંચ દિવસ દરમિયાન કુલ 22,35,060 માઈભક્તો એ માતાજી ના દર્શન નો લાભ લીધો છે.
તો આજે પાંચમા દિવસે 619 ધજાઓ ભક્તોએ મંદિર ના શિખરે ધજા ચઢાવી હતી. મેળા દરમ્યાન અવિરત પણે ભક્તો ને પ્રવાહ અંબાજી મા જોવા મલી રહ્યો છે. વહીવટી તંત્ર સુરક્ષા અને સ્વચ્છતા ને લઇ કાર્યરત છે. અને લાખો ની સંખ્યા મા આવતા માઇભકતો ને તમામ સુવિધાઓ મળી રહે તે માટે કટિબંધ છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



