મિઝોરમમાં મુશળધાર વરસાદ
વરસાદમાં પથ્થરની ખાણ ધસી પડી
10 લોકોના મોત, બચાવકાર્ય ચાલુ
મિઝોરમની રાજધાની આઈઝોલમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ભારે વરસાદને કારણે એક પથ્થરની ખાણ ધસી ગઈ છે. આ ગંભીર દુર્ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો દટાયાની આશંકા લગાવાઈ રહી છે. હાલ પોલીસકર્મીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. ભારે વરસાદને કારણે નદીઓના સ્તરમાં પણ વધારો થયો છે. નદી કિનારે રહેતા લોકોને ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે.
આઈઝોલમાં ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે. હંથરમાં નેશનલ હાઈવે-6 પર ભૂસ્ખલનને કારણે આઈઝોલ દેશના અન્ય ભાગોથી છુટુ પડી ગયું છે. વરસાદના કારણે હાલની સ્થિતિને જોતા તમામ શાળાઓ રજા જાહેર કરી દેવામાં આવી છે.
મિઝોરમના આઈઝોલ જિલ્લામાં ભારે વરસાદના પગલે એક પથ્થરની ખાણનો કાટમાળ ધસી ગયો છે. જેના નીચે દટાઈ જવાથી ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. આ આંકડો પણ વધી શકે છે.
મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જો કે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાહત કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તાજેતરમાં આવેલા રેમેલ વાવાઝોડા બાદ વાતાવરણમાં બદલાવ આવેલો છે અને મણીપુર મિઝોરમ આસામ મેઘાલય સહિતના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારતની વાત કરીએ તો દક્ષિણનું ચોમાસુ દિશામાંથી કેરળ નજીક પહોંચવાની તૈયારીમાં છે હા વિભાગની આગાહી પ્રમાણે 31 તારીખ સુધીમાં કેરળના દરિયાકાંઠે વિધિવત ચોમાસુ પહોંચી જશે