સમાચાર સારાંશ: વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી માહોલ જોવા મળી
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જમાવટ કરતાં ધોધમાર વરસ્યો છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ હવે સ્થિતિ કાબૂમાં આવી છે અને વરસાદી પાણી ઓસર્યા છે. ત્યાં તો ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે.
આજે વહેલી સવારથી અમદવાદમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. 10 વાગે પણ વહેલી સવારના 5 વાગ્યા એવો માહોલ હતો. વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જમાવટ કરતાં ધોધમાર વરસ્યો છે.
આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં મહીસાગરના વિરપુર તાલુકામાં 1.26, લુણાવાડા તાલુકામાં 3.74, ખાનપુર તાલુકામાં 1.57 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં 1.85 ઇંચ, મેઘરજ તાલુકામાં 1.73 ઇંચ વરસાદ ખાબક્યો છે. જો રાજ્યની વાત કરવામાં આવે તો ગત 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
જેમાં સૌથી વધુ વરસાદ નડીયાદમાં નોંધાયો છે. જ્યારે સંતરામપુર, દાહોદ, ઝાલોદ, મહુધા, ખેડાના વસોમાં 3 ઇંચ અને લુણાવાડા, કડાણા અને ફતેપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સાબરકાંઠા પંથકમાં વરસાદ ખાબકતાં નદીઓમાં નવા નીરનું આગમન થયું છે. તો બીજી તરફ રાજસ્થાન અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતાં પણ સાબરકાંઠાની નદીઓમાં નવા નીર ઉમેરાયા છે. વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ ઓફિસે નિકળેતા લોકો અને વિદ્યાર્થીઓને થોડો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



