સમાચાર સારાંશ: પ્રાચી તીર્થ વડનગરપરા પ્રા. શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો
વડનગરપરા પ્રા. શાળા ખાતે શાળા કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો શિક્ષણએ પાયાની જરૂરિયાત વિકસિત ભારતના પાયામાં પણ શિક્ષણ મહત્વનું
પ્રાચી તીર્થ વડનગરપરા પ્રા. શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ 1થી 8 માં નવા પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો .તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા બાળકોનું પણ ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતુ અને શાળાના દરેક કાર્યક્રમમાં હાજરી આપતા અને જરૂર પડે ત્યારે મદદ રૂપ થતા ગ્રામજનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ

આ પ્રસંગે કોડીનાર તાલુકાનાં મામલતદાર , કન્વીનર સુભાષભાઈ, ગામના સરપંચના પ્રતિનિધિ ભાણજીભાઇ રાઠોડ, તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ વિશાલભાઈ, ડો. પાલાભાઈ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સામાજિક ઉત્થાન માટે શિક્ષણએ પાયાની જરૂરિયાત વિકસિત ભારતના પાયામાં પણ શિક્ષણ મહત્વનું છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં છેવાડાના ગામો તથા ગીરસોમનાથ જિલ્લાનાં છેવાડાનાં ગામોમાં શિક્ષણ સહિતના વિકાસના અનેક કામ પહોંચી રહ્યા છે તેમ તાલુકા મામલદાર દ્વારા જણાવવામાં આવ્યું
આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો, આજે તેનું ૨૧મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે આટલા વર્ષોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે શિક્ષણનું સ્તર ખૂબ સારું થયું છે અને વિદ્યાર્થીઓ શાળામાં સારું શિક્ષણ મેળવીને ડૉક્ટર, એન્જિનિયર બની રહ્યા છે.
રાજ્યના છેવાડાના વિસ્તારમાં દીકરા-દીકરીઓ પણ ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા છે. સરકારી યોજનાઓનો લાભ લઈને દરેક બાળક સારામાં સારું શિક્ષણ મેળવે અને શાળાઓમાં સો ટકા નામાંકન માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તે સરાહનીય છે.
અહેવાલ તથા તસવીર શૈલેષભાઈ વાળા પ્રાંચી તીર્થ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



