લોકસભા ચૂંટણી લક્ષી વડોદરા કોંગ્રેસ દ્વારા આયોજિત વોર્ડ ૧,૨,૩ માં ન્યાય રેલીનું આયોજન વડોદરા લોકસભા ઉમેદવાર જશપાલ સિંહ પઢિયાર દ્વારા આ ન્યાય રેલી ની શરૂઆત છાણી રામાકાકામંદિરનાં દર્શન કરી કરવામાં આવી
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ 1,2,3 માં ન્યાય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા લોકસભા ઉમેદવાર જશપાલ સિંહ પઢિયાર દ્વારા આ ન્યાય રેલી ની શરૂઆત છાણી રામાકાકામંદિર નાં દર્શન કરી વોર્ડ 1,2,3 નાં અલગ અલગ વિસ્તાર થી થઇ ને વેમાલી ગામખાતે સંપન્ન થઈ.

આ ન્યાય રેલી માં પ્રદેશ મહામંત્રી અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રભારી ભાર્ગવ ઠક્કર, વડોદરા લોકસભા ઉમેદવાર શ્રી જશપાલસિંહ પઢિયાર, શહેર પ્રમુખ ઋત્વિજ જોષી, શહેર વિપક્ષ નેતા શ્રીમતી અમી રાવત, વડોદરા લોકસભાના પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પ્રદેશ પ્રવકતાશ્રીઓ નરેન્દ્ર રાવત અને નિશાંત રાવલ, સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, જહાભાઈ ભરવાડ, હરીશભાઈ પટેલ, મહેશ સોલંકી તથા પાર્વતી રાજપૂત, મીના વસાવા, અમર વાઘેલા, ફાલ્ગુન સોરઠીયા, કે પી વાઘેલા, સમીર શેખ, નાનું પટેલ તથા યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા, મહિલા કોંગ્રેસ, તમામ સેલના પ્રમુખો અને હોદેદારો સાથે વડોદરા શહેર અને જિલ્લાના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જશપાલ સિંહ પઢિયારે જનતા ને સંબોધતા જણાવ્યું હતું કે, મોંઘવારી, બેરોજગારી ચરમ સીમાએ છે, વડોદરાની જનતા હવે ભાજપ અને એમના ઉમેદવારો પાસે કોઈ આશા નથી રાખતા, વડોદરા ભાજપના આંતરિક વિખવાદ ના લીધે તેમને ઉમેદવાર બદલવા પડ્યા. જે સાબિત કરે છે આ વખતે ચૂંટણીમાં પરિવર્તન નિશ્ચિત છે.