સમાચાર સારાંશ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ NCPA લૉનની મુલાકાત લેશે અને ત્યાંથી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં જશે. જ્યારે રતન ટાટાની અંતિમ યાત્રા શરૂ થશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રતન ટાટા સાચા દેશભક્ત હતા મહારાષ્ટ્રની કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો છે. જેમાં રતન ટાટાને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી
દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રતન ટાટા સાચા દેશભક્ત હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ NCPA લૉનની મુલાકાત લેશે અને ત્યાંથી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં જશે. જ્યારે રતન ટાટાની અંતિમ યાત્રા શરૂ થશે ત્યારે અમિત શાહ પણ વરલીના સ્મશાનગૃહમાં જશે.

મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.મહારાષ્ટ્રની કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો છે.
જેમાં રતન ટાટાને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે.NCPA લૉનમાં જ્યાં રતન ટાટાનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે ત્યાં સર્વ ધર્મ પ્રાર્થના થઇ રહીRBI ગવર્નર શક્તિકાંત દાસ પણ રતન ટાટાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. હિન્દુ ધર્મગુરુઓ, મુસ્લિમ ધર્મગુરુઓ પણ હાજર છે. દરેક ધર્મના ગુરુઓ એક પછી એક શાંતિ પ્રાર્થના કરી રહ્યા છે.
મુંબઈના પારસી સમુદાયના લોકો પણ રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુકેશ અંબાણીએ કહ્યું કે રતન ટાટાનું નિધન માત્ર ટાટા ગ્રુપ માટે જ નહીં પરંતુ દરેક ભારતીય માટે મોટી ખોટ છે. મેં આજે એક પ્રિય મિત્ર ગુમાવ્યો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



