એક કલાકાર કો ઇજ્જત ઔર સન્માન ચાહિએ..' આ સંવેદનાઓ પીઢ ગીતકાર સંતોષ આનંદની છે. આ મહાન ગીતકારની ફિલ્મી સફર વિષે જાણીએ
ગીતકાર સંતોષ આનંદનો જન્મ 5 માર્ચ 1939માં થયો હતો. ઉત્તર પ્રદેશના બુલંદશહર પાસેના સિકંદરા બાદ ખાતે જન્મેલા આ સંવેદનશીલ હિંદી કવિ આજથી પાંચ દાયકા પહેલા દિલ્હીના પુસ્તકાલયમાં કામ કરતાં હતા .સાથે વિવિધ કવિ સંમેલનમાં પોતાની કવિતા રજૂ કરતા હતા .એ જમાનામાં હરિવંશરાય બચ્ચન અને નિરજ પછી સંતોષ આનંદનું નામ હતુ. એક મુશાયરામાં ફિલ્મ સ્ટાર મનોજ કુમારે તેમને સાંભળીને પ્રભાવિત થઈને 1970માં પોતાની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમમાં તક આપી હતી. આ ફિલ્મમાં પૂરવા સુહાની આઈ રે ગીત ખૂબજ લોકપ્રિય થયું હોવા છતાં કોઈએ તેમને ફિલ્મોના ગીત લખવા કામ ન આપ્યું બાદમાં મનોજકુમારે ફરી પોતાની ફિલ્મ શોરમા ગીતકાર તરીકે લેતા ઈક પ્યારકા નગ્મા હે જેવા હિટ ગીતો આપ્યા હતા. મનોજકુમારે રોટી કપડા ઔર મકાન ફિલ્મમાં તક આપીને ‘મેંના ભૂલૂંગા, જેવા સુપર હિટ ગીતો આપ્યા બાદ સંતોષ આનંદે સાત વર્ષના વિરામ બાદ છેલ્લે 1981માં મનોજકુમાની ફિલ્મ ‘ક્રાંતિ’ ના ગીતો લખ્યા . તેમણે મનોજકુમારની ફિલ્મોમાં સૌથી વધુ ગીતો લખ્યા હતા.
સંતોષ આનંદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું
કે મેં કોઈ પાસે નાણાંકીય સહાય માગી નથી. હું કવિ સંમેલનમાં ભાગ લઉં છું અને એ દ્વારા નાણાં કમાઈ લઉં છું. મને કોઈ સમસ્યા નથી. પીઢ ગીતકાર સંતોષ આનંદ કહે છે, હું જુદાં જુદાં સમારોહમાં જઈને એન્જોય કરું છું અને ત્યાં હું મારા ગીતો ગાઉં છું. ફિલ્મ 'ઇન્ડસ્ટ્રી મને ભૂલી ગઈ છે એ વિચારીને હું ખૂબ જ સંવેદનશીલ બની ગયો હતો.
?ref_src=twsrc%5Etfw">September 29, 2023
શબ્દોથી સંતોષ લઈ જીવનનો આનંદ માણતા આ ગીતકારને મનોજકુમારે તેમની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમમાં પ્રથમ તક આપી હતી, આ ફિલ્મના દરેક ગીતો જીવનનો મર્મ સમજાવતા હતા .વર્ષ ૧૯૮૨માં ફિલ્મ પ્રેમરોગમાં ‘મહોબ્બત હૈ કયા ચીજ’ જેવા રોમેન્ટિક ગીતો લખનાર આ કવિ વ્હીલચેર પર બેસીને જુસ્સાથી પોતાના ગીતો રજૂ કરીને સૌના દિલમાં વસી ગયા હતા . જુના કલાકારોની ઘણી વાતો આપણે જોઈ છે. મહેમુદ, ભારતભૂષણ જેવા અનેક નામી કલાકારો તેના અંતિમ કાળમાં ઘણી કપરી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા. બસ આ જ

કલાકારોના લિસ્ટમાં આ મહાન ગીતકારનું
નામ પણ લેવામાં આવે છે
અત્યારનાં કલાકારો જેવી કરોડોની કમાણી ત્યારે નહતી તેથી પણ તે સમયાંતરે મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક કલાકારો ગીતકારો સંગીતકારો સહાયકો જેવા વિવિધ બોલીવુડના નામાંકિત લોકોનો અંતિમ સમય ઘણો ખરાબ રહ્યો હતો. તેવીજ
રીતે આ લોક ચાહના મેળવનાર ગીતકાર પણ ક્યારે ભુલાઈ ગયા તે ખબર ન પડી .
તેરા સાથ હે તો મુજે કયા કમી હૈ, જીતેન્દ્રની ફિલ્મ પ્યાસા સાવન માટે બે ગીત તથા વર્ષ 1982માં ગ્રેટ શો મેન રાજકપૂરની ફિલ્મ પ્રેમ રોગ માટે યે ગલીયા યે ચોબારે, અને મહોબ્બત હૈ કયા ચીજ જેવા હિટ ગીતો લખીને ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મો સિવાય સંતોષ આનંદે કુલ 28 ફિલ્મોમાં 109થી વધુ ગીતો લખ્યા હતા. જીવનના અંતિમ પડાવમાં આ ગીતકારની દયનીય હાલત અને ચાહકોનો સાથ સહકાર તથા લાગણીનો ધોધ વહી રહ્યો છે જયારે આ સ્થિતિમાં પણ તેઓ વ્હીલચેર પર બેસીને જુસ્સાથી પોતાના ગીતો રજૂ કરીને સૌના દિલ જીતે છે .
સંતોષ આનંદના ગીતો અર્થસભર-સ્મરણીય હોવાથી આજે પણ લોકો મોબાઈલમાં રીંગટોન રાખે છે. તેમના ગીતો યુવા વર્ગમાં બહુજ લોકપ્રિય થયા છે.
અત્યારે જીવનની ઢળતી સંધ્યાએ આ ગીતકાર જુવાનજોધ પુત્ર-પુત્રવધુ ગુમાવીને એકલા પોતાની પુત્રી-પૌત્રી સાથે એક સાવ નાનકડા ફલેટમાં દયનીય હાલતમાં જીવન પસાર કરે છે. તેમણે 1970 થી 1982 સુધી વિવિધ ફિલ્મોના ગીતો લખ્યા હતા. તેમણે 1974માં અને 1982માં બેવાર ફિલ્મફેર એવોર્ડ મળ્યોહતો. એ ફિલ્મો પ્રેમરોગ અને રોટી કપડા ઔર મકાન હતી છેલ્લે તેમણે જુનુન 1992 તથા તહલકા 1992માં ગીતો લખ્યા હતા. તેમના ગીતો લત્તાજી, મુકેશ અને મહેન્દ્રકપૂર જેવા ખ્યાતનામ ગાયકો એ ગાયા છે. 2016માં તેમને યશભારતીનો એવોર્ડ મળ્યો હતો.
ભાવનાત્મક ગીતો લખનારા સંતોષ આનંદને સમગ્ર ભારતીય સમાજ ક્યારેય ભૂલી શકે નહીં. બૉલીવુડે પણ તેમના અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલવું જોઈએ નહીં. તેમના ગીતો લતા મંગેશકર, મહેન્દ્ર કપૂર , મોહમ્મદ અઝીઝ, કુમાર સાનુ, કવિતા કૃષ્ણમૂર્તિ જેવા ઘણા ગાયકોના કંઠે રજુ થયા છે .
જીંદગી કી ના તૂટે લડી, પ્યાર કર લે ઘડી દો ઘડી જેવા હિટ ગીતોના ગીતકાર સંતોષ આનંદ પાસે આજે કંઈ કામ નથી. હિંમત હારી ચૂકેલા પણ તેના શબ્દોના સંતોષથી કપરા સમયમાં પણ આનંદ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
આજનો જમાનો તેમને યાદ કરતો નથી તે આ ગીતકારની ફરિયાદ છે. તેમની આવડત એટલી પાવરફુલ હતી કે લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે ફોન પર જ વાત કરીને ગીત બનાવી લેતા હતા. કવિ સંમેલનમાં તેમને સાંભળવા બહુ જ ભીડ ઉમટી પડતી હતી. જીવનની ઘણી મુશ્કેલી વચ્ચે આ ગીતકાર જીવી રહ્યા છે. છતા હિંમતહાર્યા નથી. ર8 ફિલ્મોમાં 109 જેટલા સુપરહિટ ગીતો લખનાર ગીતકાર જીવનના અંતિમ પડાવે એમના ગીતો થકી આપણને સંતોષ અને આનંદ આપનાર આ ગીતકાર ને સમગ્ર દેશમાંથી સાંત્વના, સંવેદના અને સધિયારો મળ્યો હતો. બોલીવુડના કલાકારોનો સિતારો ચમકતો હોય ત્યારે બધા જ તેની સાથે હોય છે પણ જેવું કામ મળતું બંધ થાય કે બધા સંબંધો તોડી નાંખે છે . અત્યારનાં કલાકારો જેવી કરોડોની કમાણી ત્યારે ન હતી તેને કારણે પણ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા.
આ સંવેદનશીલ હિંદી કવિ આજથી પાંચ દાયકા પહેલા દિલ્હીના પુસ્તકાલયમાં કામ કરતાં સાથે નિરજ પછી સંતોષ આનંદનું
નામ હતું.
70 ના દશકામાં પોતાની મર્મસ્પર્શી કલમથી શ્રેષ્ઠ ગીતો લખનાર ગીતકાર સંતોષ આનંદ પુત્ર અને પુત્રવધુની આપઘાતની ઘટના બાદ સાવ ભાંગી પડયા છે. કવિ સંમેલનમાં તેમને સાંભળવા બહુ જ ભીડ ઉમટી પડતી હતી. જીવનની ઘણી મુશ્કેલી વચ્ચે આ ગીતકાર જીવી રહ્યા છે છતાં હિંમત હાર્યા નથી. વ્હીલ ચેર પર કાંપતા શરીરે ભલે સાથ ન આપ્યો પણ તેમણે લખેલા ગીતો ના સહારે આત્મ વિશ્ર્વાસે તેમના જીવન જીવવાનું કારણ બન્યું છે. તેઓ તેમની એક પંક્તિમાં ઘણું
સમજાવી જાય છે
“જો બીત ગયા અબ વહ દૌર ન આયેગા,
ઇસ દીલ મેં સિવા તેરે કોઇ,
ઔર ન આયેગા……
ઇક પ્યાર કા નગમા હૈ…..
જીંદગી ઔર કુછભી નહીં, તેરી મેરી કહાની હૈ…..