સમાચાર સારાંશ: અમદાવાદ ખાતે આજે મહેસાણાના જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે અમદાવાદ એસજી હાઇવે પર ઇસ્કોન મંદિરની બાજુમાં પાણીના કુંડા વિતરણનો કેમ્પ યોજાયો
કાળઝાળ ગરમીમાં ચાલો પશુ-પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ
સંસ્થા પશુ-પક્ષીઓની મદદ કરે છે. જો કોઇ ઘાયલ પશુ-પક્ષીઓ વિશે માહિતી મળે તેઓ સારવાર કરાવે છે. આ ઉપરાંત તેઓ પશુ-પક્ષીઓ માટે દર વર્ષ ઉનાળાની ઋતુમાં લોકોને પાણીના કુંડા અને પક્ષીના ઘર વિતરણ પણ કરે છે.
સંસ્થાના કાર્યકર્તાઓએ જણાવ્યું કે જણાવ્યા અનુસાર અમારી સંસ્થા ઘણા સમયથી પશુ-પક્ષીઓ માટે પાણીના કૂંડા વિતરણ કરતા આવ્યાં છે. અને શહેરમાં રેગ્યુલર અમે ઉનાળામાં આ કાર્યક્રમ રાખીએ છીએ. દર વર્ષ કૂંડા અને લોકોને વિતરણ કરીએ છીએ. આ ઉપરાંત અમારી સંસ્થા ઘાયલ પશુ-પક્ષીઓને સારવાર કરાવી તેની જાળવણી રાખવાની જાગૃતિ પણ ફેલાવીએ છીએ. લોકોમાં પશુ-પક્ષીઓ માટે અવેરનેસ આવે તે માટે અમે અવારનવાર કાર્યક્રમ પણ કરતા આવ્યાં છીએ.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



