સમાચાર સારાંશ: બૃહસ્પતિને એક શુભ ગ્રહ માનવામાં આવે છે જેને દેવગુરુ કહેવામાં આવે છે.
કૃતિકા નક્ષત્રના ચોથા ચરણમાં ગુરુના ગોચરથી કઈ રાશિઓને મહાલાભ થશે. ગતિ, દિશા અને સ્થાનમાં થવા વાળા પરિવર્તનની અસર આખી દુનિયામાં જોવા મળશે .
બૃહસ્પતિને એક શુભ ગ્રહ માનવામાં આવે છે જેને દેવગુરુ કહેવામાં આવે છે. એની ગતિ, દિશા અને સ્થાનમાં થવા વાળા પરિવર્તનની અસર આખી દુનિયામાં જોવા મળે છે. 29 મે 2024ના રોજ બૃહસ્પતિએ કૃતિકા નક્ષત્રના ચોથા ચરણમાં પ્રવેશ કરી લોધો છે. એવામાં જ્યોતિષ શાસ્ત્રની તમામ રાશિઓ પર આની અસર પડશે. તો ચાલો જાણીએ કૃતિકા નક્ષત્રના ચોથા ચરણમાં ગુરુના ગોચરથી કઈ રાશિઓને મહાલાભ થશે…
મેષ - ગુરુનું આ ગોચર મેષ રાશિના લોકો માટે આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ લાવશે. જો તમે ધંધો ચલાવી રહ્યા છો તો લાભ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમે નવી મિલકત અથવા અન્ય કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો. તમે લોકો સામે તમારા વિચારો વ્યક્ત કરી શકશો અને તેમના દિલ જીતવામાં પણ સફળ રહેશો. જો કે, તમારે તમારા પરિવારના સભ્યો અથવા ભાઈ-બહેનો સાથે સારા સંબંધો જાળવી રાખવા માટે મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડી શકે છે. પૈસા સંબંધિત વિવાદો પણ સામે આવી શકે છે.
મિથુન- મિથુન રાશિના લોકો માટે આ સમયગાળો સારો રહેશે, પરંતુ તેમને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. પ્રવાસ શરૂ કરવા અથવા સેમિનારમાં ભાગ લેવા માટે આ એક શુભ સમય છે. જો કે, આ રાશિના લોકોને પૈસા, કાયદા અથવા અજાણ્યા દુશ્મનોને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના લોકો માટે ગુરૂ ગોચરનો આ સમયગાળો તેમના સંબંધોને મજબૂત કરવા અથવા નવા સંબંધો બનાવવા માટે સારો રહેશે. આ સમય દરમિયાન અન્ય લોકો સાથે વાતચીત કરવાની તમારી ક્ષમતામાં સુધારો થશે. તમને તમારા જીવનસાથી, વ્યવસાયિક ભાગીદાર અથવા નજીકના મિત્ર સાથે તમારા સંબંધોને સુધારવાની તકો મળશે. પરંતુ તમારે તમારા માતા-પિતા પર વધુ પડતા નિર્ભર રહેવાની કાળજી રાખવાની જરૂર છે. આટલું જ નહીં, તમે કોઈ છેતરપિંડીઓમાં ફસાઈ શકો છો.
કુંભઃ- ગુરુના ગોચરનો સમયગાળો કુંભ રાશિના લોકોના પારિવારિક જીવન માટે ફાયદાકારક રહેશે. પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને તમે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં સફળ થશો. નવા ઘરમાં પ્રવેશવા અથવા પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો સુધારવા માટે સારો છે. આ સમય તમારા જીવનમાં કેટલાક મોટા ફેરફારો લાવશે. જો કે, તમારી કેટલીક જૂની ઇજાઓ ફરીથી પીડા આપવાનું શરૂ કરી શકે છે અને એવી સંભાવના છે કે તમે લાગણીશીલ બની શકો છો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



