IT નોટીસ મળતા શ્રમિકનો જીવ અધ્ધર....વડોદરાના ખેત શ્રમિકને મળી ITની 75લાખની નોટીસ .
વડોદરાનાં હાંદોડ ગામે ખેત શ્રમિકને ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા રૂપિયા 75 લાખની નોટીસ. નોટીસ મળતા શ્રમિકનો જીવ અધ્ધર થઈ જવા પામ્યો હતો. ખેતરમાં કામ કરી ગુજરાન ચલાવતા શ્રમિક પાસે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા રૂપિયા 75 લાખ માંગવામાં આવ્યા છે. મંગળભાઈ વસાવાને 2 વર્ષમાં બીજી વખત 75 લાખની નોટિસ ફટકારવામાં આવી છે. મંગળભાઈને 2023 બાદ 2024 માં પણ 75 લાખની નોટિસ મળી છે. ત્યારે ચાલુ વર્ષે નોટિસ મળતા મંગળભાઈ વસાવાનાં ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ સમગ્ર બાબતે મંગળભાઈ દ્વારા વકીલની સલાહ પણ લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
સીએ મારફતે નોટિસનો જવાબ આપ્યો હતોઃ ખેડૂત
આ બાબતે ખેત મજૂર મંગળભાઈ પૂનમભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા મને 75 લાખ રૂપિયાનાં વ્યવહારની નોટિસ મોકલી હતી. જે બાદ મે મારા બેંક ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. જેમાં કોઈ જાતનાં મોટા આર્થિક વ્યવહારો ન હતો. જે બાદ મે સીએ મારફતે નોટિસનો જવાબ આપ્યો હતો. જેનો ખર્ચા રૂ. 2500 થયો હતો.
ખોટો પાન નંબર લખાઈ જાય ત્યારે ભળતા નામનાં વ્યક્તિને નોટિસ મળેઃ સીએ
આ બાબતે સીએ કલ્પેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, ઘણીવાર ખેડૂતો જંત્રીથી ઓછી કિંમતવાળી જમીન વેચે ત્યારે ખેડૂત આઈ રિફંડના ભરે તો નોટીસ આવી શકે છે.
ત્યારે હાલ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ઓનલાઈન વેરીફીકેશન કરવાની તજવીજ હાથ ધરી છે તેમજ ખોટો પાન નંબર લખાઈ જાય ત્યારે નોટિસ તેવા જ અન્ય નામનાં વ્યક્તિને મળે છે.