સમાચાર સારાંશ: વિશ્વભરમાં દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સભ્ય રાષ્ટ્રોએ ૧૯૮૭માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની રચના કરી હતી,
આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ
On the occasion of #WorldNoTobaccoDay. My SandArt at Puri beach in Odisha, India
— Sudarsan Pattnaik (@sudarsansand) May 31, 2024
Say #NoTobacco 🚭 pic.twitter.com/TOm5NYZ3aZ
31મી મે ના રોજ નો ટોબેકો ડે તરીકે ઓળખાય છે. જેમાં લોકોને તમાકુના ઉપયોગના જોખમો સામે જાગૃત કરાય છે. સરકાર અને સંસ્થાઓના લાખ પ્રયત્નો છતાં દેશ અને રાજ્યમાં તમાકુના વ્યસની બદી ચિંતાજનક છે. ગુજરાતમાં 41 ટકા પુરુષો જ્યારે 8 ટકા મહિલાઓ તમાકુનું સેવન કરે છે. જેમાં કચ્છની વાત કરવામાં આવે તો અહીં 15 વર્ષથી મોટી ઉંમરની 8.9 ટકા મહિલા અને 38.7 ટકા પુરુષ તમાકુના વ્યસનના બંધાણી છે.આ વર્ષે તમાકુ નિષેધ દિવસે બાળકોને તમાકુ ઉદ્યોગની દખલથી રક્ષણ આપવાના થીમ પર વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે

વ્યાયામ,કસરત કરવાથી તમાકુના વ્યસનમાંથી મુક્તિ મળે છે. ચાલવા જવું, નિયમિત દોડવું, સાઇકલ ચલાવવી જેવી સરળ કસરત કરવાથી તમાકુના સેવનની લત ઓછી અને ધીમે ધીમે બંધ કરી શકાય છે. મગજને વધુને વધુ અન્ય દિશા તરફ વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરવાથી વ્યસનને ભૂલી શકાય.તમાકુ નિષેધ માટે જનજાગૃતિ હેતુ આ દિવસ પસંદ કરાયો છે, પરંતુ ખરેખર તો આવા માદક પદાર્થોના નિષેધ માટે કોઈ પણ નિશ્ચિત્ત દિવસ હોતો નથી. કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે બસ આ માટે જે તે વ્યક્તિએ પોતાનું મન મક્કમ કરવાની આવશ્યકતા છે.
તમાકુ ઉત્પાદનોએ કોઇપણ રાષ્ટ્રના વિકાસ માટે ખતરારુપ છે. અને તે લોકોના શારિરીક સ્વાસ્થ્ય માટે હાનીકારક છે, ઉપરાંત લોકોની આર્થીક સ્થિતી પણ ખોરવાય છે. આમ આ તમાકુ ઉત્પાદનોના સેવનની ઉભી થયેલ વૈશ્વિક કટોકટીને પહોચીં વળવા વિવિધ સરકારો તેમજ લોકો આરોગ્ય તેમજ વિકાસને પ્રાથમિકતા આપે તે જરુરી છે. તમાકુ નિષેઘને વ્યાપક અર્થમાં લેતા તે માત્ર શારિરીક સ્વાસ્થ્યની અસમતુલાના હેતુ ઉપરાંત તમાકુના પાક, ઉત્પાદન, વેચાણ અને ઉપભોગ સુધી થતી પ્રતિકુળ અસરોને આવરી લે છે. તમાકુ નિષેઘ ગરીબી, ભુખમરો નો અંત આણી કૃષીવિષયક અને આર્થિક વિકાસ અને લાંબાગાળે પર્યાવરણ ના ફેરફાર માં પણ પોતાના ફાળૉ નોંધાવે છે. તમાકુ ઉત્પાદનો પર કરનું ભારણ વધારતા સરકારી આરોગ્ય વિષયક અને અન્ય વિકાસના કાર્યોમાટે યોગ્ય ભંડોળ મળી રહે છે. આ ઉપરાંત્ત્ર લોકો વ્યક્તિગત રીતે પણ તમાકુ ઉત્પાદનો નો ત્યાગ કરી તમાકુ પર વેડફાતા પૈસાનો આરોગ્યપ્રદ ખોરાક, સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળ સદઉપયોગ કરી પોતાના જીવન માં નોંધપાત્ર પરીવર્તન લાવી શકે છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



