સમાચાર સારાંશ: અમદાવાદમાં યોગીની જાનકી અને એમના સભ્યો દ્વારા યોગ દિવસ ની ખાસ ઉજવણી સ્મૃતિ મંદિર ઘોડાસર વિસ્તારમાં કરવામાં આવી
યોગમય બની દુનિયા, અમદાવાદના સ્મૃતિ મંદિર ઘોડાસરથી લઈને હિમાલયના પહાડો પર ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરાઈ . યોગ તરફની જાગૃતિ જોવા મળી
યોગા હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહ્યો છે દર વર્ષે 21 જૂને વિશ્વ યોગા દિવસ ઉજવવામાં આવે છે. આજે આખું વિશ્વ યોગ કરી રહ્યું છે .

દસમો ઇન્ટરનેશનલ યોગ દિવસની પ્રી ઉજવણી નિમિત્તે યોગીની જાનકી અને એમના સભ્યો દ્વારા યોગ દિવસ ની ખાસ ઉજવણીનો કાર્યક્રમ તારીખ ૨૦/૬/૨૦૨૪ ના રોજ સવારે છ થી સાત વાગ્યે યોજાયો હતો જેમાં અલગ અલગ યોગ આસનો પ્રદર્શિત કરવામાં આવ્યા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ખાસ લોકોને યોગ તરફની જાગૃતિ ફેલાવવા માટેનો હતો .આ કાર્યક્રમ ઘોડાસર નજીક સ્મૃતિ મંદિર પાસે આવેલા જોગરસ પાર્કમાં યોજવામાં આવેલો હતો.
આપને જણાવી દઈએ કે શ્રીનગરમાં દાલ લેકના કિનારે મેઘરાજાએ યોગ કર્યો હતો
વરસાદના કારણે પીએમ મોદીનો કાર્યક્રમ બદલાયો હતો પીએમ મોદી શ્રીનગરમાં દાલ લેકના કિનારે યોગ દિવસની ઉજવણી કરવાના હતા પરંતુ વરસાદના કારણે પીએમ મોદીનો કાર્યક્રમ બદલાયો . PM મોદી પણ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર થી યોગ દિવસ પર ઉજવણી કરવાનું નક્કી કરાયું .કેન્દ્રીય મંત્રીઓ પણ આજે દેશના વિવિધ ભાગોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મનપા દ્રારા 10 માં યોગ દિનનું આયોજન કરાયું ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યકમમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા હાજરી આપી .ગાંધીનગર મનપા દ્રારા આયોજિત મોટી સંખ્યામાં નગરજનો, સામાજિક સંસ્થાઓ સહિત ગાંધીનગર મનપાના કર્મચારીઓ યોગ દિનમાં હાજર
રહ્યા હતા .ગાંધીનગર મેયર મીરાબેન પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ સહિત કોર્પોરેશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



